5 ગુજરાતી સહિત ભારતની 131 હસ્તીને પદ્મ પુરસ્કાર

Wednesday 27th May 2026 06:16 EDT
 
પ્રાચીન માણભટ્ટ અથવા ‘માન આખ્યાન’ પરંપરાના અગ્રણી ઉસ્તાદના રૂપમાં માન્યતાપ્રાપ્ત ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રીથી સન્માનિત કરાયા. માણભટ્ટ મૌખિક રૂપે વાર્તા સંભળાવવાની એક વિશિષ્ટ કલા છે, જેનાં મૂળ મધ્યકાલીન આખ્યાન સાહિત્ય સાથે જોડાયેલાં છે.
 

નવી દિલ્હીઃ ગુજરાતની 5 સહિત 131 હસ્તીને પદ્મ પુરસ્કાર અપાયા છે. વડોદરાના આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિકલાલ પંડ્યાને રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હતો. આ સાથે સુરતમાં ઓર્ગન ડોનેશનમાં મદદ કરતા નિલેશ માંડલેવાલા અને કલાક્ષેત્રે હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલા, સાહિત્યમાં રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો.


comments powered by Disqus