77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત વાવ–થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે ‘સરહદનો સાદ – નૂતન વાવ–થરાદ’ મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું, ‘નવો જિલ્લો બનતાં આ વિસ્તારના વિકાસને વેગ મળશે.’ આ પ્રસંગે જિલ્લાના 16 અગ્રણીઓનું સન્માન પણ કરાયું.

