અમદાવાદઃ અંબાજી મંદિરને સોનાનું બનાવવા ભક્તો દ્વારા સોનાની ભેટ અપાય છે, જેના લીધે અંબાજી મંદિર અડધું સોનાનું થઈ ગયું છે. અંબાજી મંદિરમાં સોનાની ભેટનો અનેરો મહિમા છે, ત્યારે શુક્રવારે અમદાવાદના ભક્તે મંદિરમાં સોનું ધરાવ્યું હતું. અમદાવાદ રહેતા અને વર્ષોથી માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તે મંદિરમાં આવીને રૂ. 24.75 લાખનું 167,270 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું,
