1 મેએ ગુજરાત રાજ્યના 67મા સ્થાપના દિવસની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદ સ્થિત નહેરુબ્રિજના નાકે આવેલા ‘ઇન્દુલાલ યાજ્ઞિક ગાર્ડન’ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને લોકપ્રિય નેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા અને તેઓની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે અનેક ગણમાન્ય નાગરિકો સાથે સ્થાનિકો હાજર રહ્યા હતા.

