Sukhbir urges home ministry to release jailed Sikhs 08/12/2014 9:16 am Arvind Rajput Punjab Deputy Chief Minister Sukhbir Singh Badal sought immediate intervention of Union home minister Rajnath Singh for the release of more than 100 Sikh political prisoners lodged in various jails.
૨૧ જૂન વિશ્વ યોગ દિવસ જાહેર થશેઃ 08/12/2014 9:31 am Viren Vyas યુનાઇટેડ નેશન્સ ટૂંક સમયમાં જ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ જાહેર કરશે. નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘ગીતા પ્રેરણા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગગુરુ બાબા રામદેવ પણ ઉપસ્થિત હતા.
૧૯૮૬માં મુંબઈ એરપોર્ટ પર સીબીની અટકાયતઃ પ્રશ્ન આજે પણ મૂંઝવી રહ્યો છે 09/12/2014 9:45 am Achyut Sanghavi ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ (તત્કાલીન ન્યૂ લાઈફ)ના એડિટર સીબી પટેલની ૨૮ નવેમ્બર, ૧૯૮૬ના દિવસે, તેમની પાસે માન્ય વિઝા અને ભારત મુલાકાત માટે ભારતીય હાઈ કમિશનરનું સમર્થન હોવા છતાં સહર (અત્યારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ નામથી જાણીતા) એરપોર્ટ પર નવ કલાક માટે અટકાયત કરાઈ હતી? તેમના વિરુદ્ધ ખાલિસ્તાન તરફ, પાકિસ્તાન તરફી અને ભારતવિરોધી હોવાના આરોપ હતા. ‘આમ સા માટે થયું? આના માટે કોણ જવાબદાર હતું? સહિતના પ્રશ્નો આજે પણ સીબીને નિકટતાથી ઓળખતા યુકે અને વિશ્વભરના લોકો, મિત્રો, સમાજના લોકો અને થિન્ક ટેન્ક્સના સભ્યોના દિલોદિમાગમાં ઉઠી રહ્યાં છે.
ઉત્સવથી આતંકી ઓછાયા સુધી... 08/12/2014 9:32 am Nilesh Parmar ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના છે. ગાંધીનગર અને બીજાં કેટલાંક (વડોદરા - સુરત - રાજકોટ જેવાં) નગરોમાં ‘વાઇબ્રન્ટ’નો નઝારો દેખાશે પણ મૂળ સ્થાન તો અમદાવાદ- ગાંધીનગર જ રહેવાનાં છે.
Lord Mayor of the City of London leads business delegation to India 09/12/2014 10:10 am Rupanjana Dutta The Lord Mayor of London led a high profile business delegation to India from 6-10 December, to promote stronger economic ties between Britain and India.
હાથ નકામો થઈ ગયો, પણ દાદાનો લાંબા નખનો મોહ છૂટતો નથી 09/12/2014 10:43 am Nilesh Parmar કોલકતાઃ મહાનગરમાં રહેતા આદિત્ય મુરારી નામના ભાઈએ ૧૯૮૨માં વિશ્વના સૌથી લાંબા નખનો વિક્રમ સજર્યો હતો. એ વખતે તેમની બધી જ આંગળીઓના નખ કુલ ૧૮૦ ઈંચની લંબાઈ ધરાવતા હતા. જોકે એ પછી તેમણે નખ કપાવી નાખવા પડયા. ત્રણ-ચાર વર્ષ પછી ફરીથી તેમને નખ વધારવાનું શૂર ચડયું. ૧૯૮૬ની સાલથી તેમણે નખ કાપવાનું બંધ કરી દીધુ. આથી હાલમાં ૭૨ વર્ષના દાદા આદિત્ય મુરારીના હાથમાં કુલ ૧૨૦ ઈંચ લાંબા નખ થઇ ગયા છે.