સરદારના ઘરમાં આજે પણ ઝળહળતી ‘અખંડ સરદાર જ્યોત’ 02/11/2015 7:40 am Khushali Dave વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે.
વિદેશી વિદ્યાર્થીઓને માઈગ્રન્ટ ન ગણોઃ થેરેસા સામે કેબિનેટ પ્રધાનોનો મોરચો 12/10/2015 7:29 am Achyut Sanghavi લંડનઃ સરકારના ઈમિગ્રેશન લક્ષ્યાંકમાંથી વિદ્યાર્થીઓને દૂર કરવાની માગણી સાથે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન, બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ અને ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે હોમ સેક્રેટરી સામે મોરચો માંડ્યો છે. અત્યાર સુધી તો કેમરને થેરેસા મેને સાથ આપ્યો પરંતુ હવે ટોરી હાઈ કમાન્ડમાંથી જ વિદેશી વિદ્યાર્થીઓને લાંબા ગાળાના માઈગ્રન્ટ્સમાંથી ડીક્લાસીફાય કરવાનું દબાણ આવી રહ્યું છે. પરિણામે કેમરન પણ ઓસ્બોર્ન, જાવિદ અને હેમન્ડ સાથે જોડાવા તૈયાર થયા હોવાનું કહેવાય છે. આ વિશે ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે તેમ મનાય છે.
મુસ્લિમો માટે ઉચ્ચ નોકરીઓ કે વ્યવસાયોમાં સંસ્કૃતિનો અવરોધ 12/10/2015 7:34 am Achyut Sanghavi લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય વસ્તીમાં ત્રણમાંથી એક વ્યક્તિ ઉચ્ચ હોદ્દાઓ ધરાવતી હોય તેની સરખામણીએ છમાંથી એક કરતા પણ ઓછાં મુસ્લિમ આવા ઉચ્ચ વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જોવાં મળે છે. તેઓ કોઈ ધાર્મિક જૂથોમાં પણ પ્રોફેશનલ અથવા મેનેજરિયલ હોદ્દાઓ પર ઓછાં જોવા મળે છે.
શ્વેત પુરુષોની હત્યા કરવાની ટીપ્પણી 12/10/2015 8:11 am Achyut Sanghavi લંડનઃ ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનના સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ વેલ્ફેર અને ડાયવર્સિટી ઓફિસર બહાર મુસ્તુફાને રંગભેદી ટીપ્પણી કરવાના મુદ્દે પાંચ નવેમ્બરે બ્રોમલી મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરાયો છે. બહાર મુસ્તુફાએ ટ્વીટર પર તમામ વ્હાઈટ પુરુષોની હત્યા કરવાની ટીપ્પણી કરી હતી.