મહિલાઓ માટે અલગ ડબાના પ્રસ્તાવનો વિરોધ 01/09/2015 7:22 am Achyut Sanghavi લંડનઃ ટ્રેનમાં માત્ર સ્ત્રીઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાના લેબર નેતા જેરેમી કોર્બિનના પ્રસ્તાવ સામે જોરદાર વિરોધ થયો છે. લેબર પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં અગ્રેસર જેરેમી કોર્બીન માને છે કે ટ્રેનમાં માત્ર મહિલાઓ માટે અલગ ડબા રાખવાથી સેક્સ હુમલાઓ ઘટી શકે છે. જોકે, પ્રતિસ્પર્ધી અને શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે આ પ્રસ્તાવને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ગયા વર્ષે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ક્લેર પેરીએ પણ માત્ર મહિલાઓ માટે ડબાની તરફેણ કરી હતી.
મીરા નર્સિંગ હોમ લિમિટેડ- શાકાહારી કેર હોમની ૨૫મી વર્ષગાંઠની ઉજવણી 27/08/2015 6:41 am Kamal Rao શનિવાર, તા. ૧૫ ઓગસ્ટના રોજ મીરા નર્સિંગ હોમની ૨૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા નર્સિંગ હોમ ૫૪ પથારી સાથેનું શાકાહારીઅો માટેનું સ્પેશિયાલિસ્ટ કેર હોમ છે અને ડીમેન્શિયાથી પીડાતા રહેવાસીઓ સહિત એશિયન કોમ્યુનિટી માટે વિશેષ સુવિધા વિકસાવાઈ છે.
યુકેની આઠ યુનિવર્સિટીને એવોર્ડ 01/09/2015 7:23 am Achyut Sanghavi લંડનઃ યુકેની આઠ યુનિવર્સિટીને તેમના કેમ્પસીસમાં રંગભેદ અસમાનતાનો સામનો કરવાના પ્રયાસની કદરરુપે ‘રેસ ઈક્વલિટી ચાર્ટર માર્ક’થી સન્માનિત કરવામાં આવી છે. ઈક્વલિટી ચેલેન્જ યુનિટ (ECU) ચેરિટી દ્વારા ૨૦૧૪માં ધ રેસ ઈક્વલિટી ચાર્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.
૨૦ લાખ લોકો દ્વારા પેઈનકિલરનો દુરુપયોગ 01/09/2015 7:24 am Achyut Sanghavi લંડનઃ હવે લોકો પીડા સહન કરવાના બદલે પેઈનકિલર લઈ લેવાનું વધુ પસંદ કરે છે. જોકે, શરીર પર આની ખરાબ કે આડઅસર થતી હોવાં વિશે લોકો અજાણ હોય છે. બ્રિટનમાં આ ભારે સમસ્યા બની છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી કરાયેલાં નવા આંકડા અનુસાર બ્રિટનમાં આશરે ૨૦ લાખ લોકો પેઈનકિલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાં રહે છે.
દર સપ્તાહે બે કરી હાઉસને તાળાં 01/09/2015 7:24 am Achyut Sanghavi લંડનઃ કરીને બ્રિટનની ફેવરિટ ડિશ ગણવામાં આવે છે ત્યારે એક જ સપ્તાહમાં કરી હાઉસના બે બિઝનેસીસ બંધ કરાતાં હોવાની સ્થિતિ સર્જાઈ છે. કરી હાઉસના પરંપરાગત રસોઈઆ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની શોપ્સ બંધ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનથી આવેલાં પ્રથમ પેઢીના રેસ્ટોરાં માલિકો હવે નિવૃત્તિને પસંદ કરી રહ્યા છે. આગામી વર્ષોમાં કરી હાઉસો બંધ થતાં રહેશે તો ૩૩,૦૦૦ લોકો નોકરી ગુમાવે તેવો ભય પણ વ્યક્ત કરાય છે.
સબસિડી ઘટતા સોલાર પેનલની તેજીનો અંત 01/09/2015 7:25 am Achyut Sanghavi લંડનઃ એનર્જી સેક્રેટરી એમ્બર રડે આશ્ચર્યકારી પગલામાં સોલાર પેનલ્સ પરની સબસિડીમાં ઘટાડો કરવા માટે મસલત પ્રક્રિયા જાહેર કરી છે. આનો હેતુ પેનલ્સ પર સરકારી ખર્ચમાં ૯૦ ટકાનો ઘટાડો કરવાનો છે. ગ્રીન ઊર્જા માટે સરકારનો ઉત્સાહ મંદ થયો હોવાનું આનાથી સ્પષ્ટ થાય છે.