યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી 24/06/2026 5:30 am Nilesh Parmar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય આત્મનિર્ભરતા અને દરિયાઈ ક્ષમતા દ્વારા રાષ્ટ્રીય સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો.
એવરગ્રીન છે ફ્લોરલ પ્રિન્ટ 18/06/2026 9:30 am Nilesh Parmar ફ્લોરલ પ્રિન્ટ એ એક એવી પ્રિન્ટ છે જે તમારા વસ્ત્રોને આગવો દેખાવ આપે છે અને તમારા વ્યક્તિત્વને તાજગીપૂર્ણ નિખાર આપે છે. આ એવરગ્રીન પ્રિન્ટ છે, પણ મોટાભાગની ફેશનપરસ્ત યુવતીઓએ તેને ગરમીની શરૂઆતમાં તેમજ ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. આ પ્રિન્ટની વિશેષતા એ છે કે તેને કેઝ્યુઅલથી લઈને અને પાર્ટીઓ વગેરેમાં સરળતાથી પહેરી શકાય છે. એટલું જ નહીં, ફ્લોરલ પ્રિન્ટમાં સ્ટાઈલ, કલર અને પેટર્નના વિકલ્પોની પણ કોઈ કમી નથી. તમારે ફક્ત તમારા શરીરના બાંધા અને પ્રસંગને ધ્યાનમાં રાખીને પ્રિન્ટને યોગ્ય રીતે સ્ટાઇલ કરવાની રહે છે. જો તમે તમારા લુકને તાજગીસભર દેખાવ આપવા માગતા હો, તો ફ્લોરલ પ્રિન્ટ પહેરવાનો વિકલ્પ સારો વિચાર બની શકે છે.
હાઈકોર્ટે યવતેશ્વર મહાદેવની જમીન પર ગાયકવાડ પરિવારનો દાવો ફગાવ્યો 24/06/2026 6:59 am Badal Lakhlani વડોદરાના અતિ પૌરાણિક યવતેશ્વર મહાદેવ મંદિરની મિલકતને લઈને અનેક દાયકાઓથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ બહુ મહત્ત્વના ચુકાદા મારફ્તે વડોદરાના મહારાજા ગાયકવાડના રાજવી પરિવાર અને ખરીદારોની અપીલો ફગાવી દીધી, હાઇકોર્ટે વિવાદિત જમીનની માલિકીને લઈ યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના હક્કને યથાવત્ અને કાયમ રાખ્યો છે.
ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ઘરવાપસી 24/06/2026 7:04 am Badal Lakhlani સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં ધાર્મિક શુદ્ધિકરણ અને ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વર્ષો અગાઉ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 આદિવાસી લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્મમાં પરત ફરીને ઘર વાપસી કરી છે.
યુકે સાથે FTA થતાં હીરા અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો, ડ્યૂટી શૂન્ય 24/06/2026 7:08 am Badal Lakhlani ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નું અમલીકરણ 15 જુલાઈથી શરૂ થતાં સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને સીધો લાભ મળશે. અત્યાર સુધી ભારતમાંથી યુકે મોકલાતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો પર 4 ટકા આયાત ડ્યૂટી લાગતી હતી, જે હવે શૂન્ય થઈ જશે.
બેચરાજી મંદિરમાં વણવપરાયેલા નાણાંનો ઉપયોગ થતો નથીઃ ધારાસભ્ય 24/06/2026 6:43 am Badal Lakhlani સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના સ્ટોકમાં રૂપિયા પલળી અને સડી ગયા પણ તેનો નિકાલ કરાયો નથી તેવો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરે શનિવારે યોજાયેલી મહેસાણા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો હતો.
સુરતમાં હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો અનોખો હીરો તૈયાર કરાયો 24/06/2026 7:08 am Badal Lakhlani ડાયમંડ ટેક્નોલોજી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રૂપ અને આઇએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હુબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
છોટાઉદેપુરમાં ગુજરાતનો એકમાત્ર રબ્બર ડેમ તૈયાર થવાના આરે 24/06/2026 7:04 am Badal Lakhlani બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ અને એકમાત્ર રબ્બર ડેમ બનીને તૈયાર થવાના આરે છે. આ અદભુત પ્રોજેક્ટ આસપાસનાં 20થી 60 ગામોની પીવાનાં પાણી અને સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવશે.