થોડા સમય બાદ ફરી મિત્રો, સ્નેહીઓ અને આપણા ગુજરાતી અગ્રણીઓ ઉપરાંત વાંચકોની ઇચ્છાપૂર્તિ કરતા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં આપનું સ્વાગત છે. 25 જૂને ગુરુવારે આયોજિત ‘સોનેરી સંગત’માં આપણી માટીનું ઋણ અદા કરવાના સંકલ્પરૂપે સંસ્કારવાહિની ગુજરાતી ભાષા અંગેનો વિષય શબ્દસેતુ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે પસંદ કર્યો. સી.બી. પટેલે કહ્યું કે, આપણી ગુજરાતી અસ્મિતાનો ટહૂકો આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેની સેવા કરવી આપણી ફરજ છે.
સી.બી. પટેલે આગળ કહ્યું કે, બ્રિટનમાં 50થી 60 વર્ષમાં એક અલગ ગુજરાત વસી ગયું છે. આ અદકેરા ગુજરાતને આગળ વધારવામાં અહીં આવીને વસેલા લોકોમાં કેટલાક કવિઓ, લેખકો, વિચારકો, સમાજસેવકો, સંત-મહાત્માઓ, સમાજનું ઘડતર કરનારી માતાઓ અને વડીલોના વૈચારિક – સામાજિક ક્રાંતિમાં તેમના આપેલા સહયોગને હું વંદન કરું છું. ગુજરાતી ભાષાની સેવામાં આ તમામ લોકોએ કામ કર્યું તેમાં પંકજભાઈ વોરાનું નામ અગ્રહરોળમાં આવે છે. આજે તેમની વિરાસતના વારસ અને સંસ્કારયાત્રાના સહપ્રવાસી તેમનાં પત્ની ભારતીબહેન વોરા આપણા કાર્યક્રમનું સંચાલન કરી રહ્યાં છે.
થોડા સમય બાદ ફરી મિત્રો, સ્નેહીઓ અને આપણા ગુજરાતી અગ્રણીઓ ઉપરાંત વાંચકોની ઇચ્છાપૂર્તિ કરતા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં આપનું સ્વાગત છે. 25 જૂને ગુરુવારે આયોજિત ‘સોનેરી સંગત’માં આપણી માટીનું ઋણ અદા કરવાના સંકલ્પરૂપે સંસ્કારવાહિની ગુજરાતી ભાષા અંગેનો વિષય શબ્દસેતુ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે પસંદ કર્યો. સી.બી. પટેલે કહ્યું કે, આપણી ગુજરાતી અસ્મિતાનો ટહૂકો આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેની સેવા કરવી આપણી ફરજ છે.
સી.બી. પટેલે આગળ કહ્યું કે, બ્રિટનમાં 50થી 60 વર્ષમાં એક અલગ ગુજરાત વસી ગયું છે. આ અદકેરા ગુજરાતને આગળ વધારવામાં અહીં આવીને વસેલા લોકોમાં કેટલાક કવિઓ, લેખકો, વિચારકો, સમાજસેવકો, સંત-મહાત્માઓ, સમાજનું ઘડતર કરનારી માતાઓ અને વડીલોના વૈચારિક – સામાજિક ક્રાંતિમાં તેમના આપેલા સહયોગને હું વંદન કરું છું. ગુજરાતી ભાષાની સેવામાં આ તમામ લોકોએ કામ કર્યું તેમાં પંકજભાઈ વોરાનું નામ અગ્રહરોળમાં આવે છે. આજે તેમની વિરાસતના વારસ અને સંસ્કારયાત્રાના સહપ્રવાસી તેમનાં પત્ની ભારતીબહેન વોરા આપણા કાર્યક્રમનું સંચાલન કરી રહ્યાં છે.