આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્ય 05/08/2026 7:48 am Nilesh Parmar અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.
અધિક માસને કારણે આ વર્ષે તહેવારો 15થી 20 દિવસ મોડાઃ દર 3 વર્ષે પંચાંગમાં 1 મહિનો ઉમેરાય છે 05/08/2026 7:36 am Nilesh Parmar સનાતન ધર્મમાં તહેવારોની ઉજવણી માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ખગોળીય વિજ્ઞાન છુપાયેલું છે. આ વર્ષે હિન્દુ તહેવારોના કેલેન્ડરમાં મોટો બદલાવ જોવા મળશે જેમાં તમામ મુખ્ય તહેવારો આશરે 15થી 20 દિવસ જેટલા મોડા આવશે. આ કોઈ સંયોગ નથી, પરંતુ આપણા વિદ્વાન પંડિતોએ કુદરત - ખગોળીય રચના અને આપણા તિથિતહેવારો વચ્ચે રચેલો અનોખો તાલમેલ છે.
હરિને હેતના હિંડોળે ઝૂલાવતા સ્વામીશ્રી... 05/08/2026 7:40 am Nilesh Parmar બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.
150 વર્ષ પહેલાં અપાયેલું દુર્લભ પુસ્તક લાઈબ્રેરીમાં પરત આવ્યું, લેટ ફી 16 લાખને પાર 05/08/2026 7:55 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાની એક પબ્લિક લાઈબ્રેરીમાં આશરે 150 વર્ષના લાંબા સમય પછી એક પુસ્તક સ્થાનિક રહેવાસી રોસ સિમોન્સ દ્વારા પરત કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીના જૂના નિયમો અનુસાર ગણતરી કરવામાં આવે તો આ પુસ્તકની "લેટ ફી" લગભગ 28,000 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 16 લાખ રૂપિયા) જેટલી થાય છે.