સ્વાતંત્ર સેનાની પૂર્ણિમાબહેન પકવાસાનું ૧૦૩ વર્ષની વયે અવસાન 27/04/2016 7:52 am Vikram Nayak સાપુતારાઃ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલા ઋતંભરા કન્યા વિદ્યાલયના સ્થાપક, પદ્મભૂષણ અને સ્વાતંત્ર્ય સેનાની પૂર્ણિમાબહેન અરવિંદભાઈ પકવાસાનું સોમવારે સાંજે ૬.૦૦ કલાકે ઋતંભરા વિદ્યાલય-સાપુતારા ખાતે નિધન થયું છે. તેઓ ૧૦૩ વર્ષનાં હતાં. લાંબા સમયથી માંદગીમાં રહીને સોમવારે તેઓના નિધનની વાત વાયુવેગે પ્રસરતા સૌ કોઈ દુ:ખદ લાગણીમાં ડૂબી ગયા હતા.
ચૈત્રી પૂનમ પર્વે નારાયણ સરોવર મંત્રોચ્ચારથી ગાજી ઉઠ્યું 27/04/2016 7:46 am Khushali Dave પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા મંત્રોચ્ચારથી ચૈત્રી પૂનમના નારાયણ સરોવરનો કાંઠો ગાજી ઊઠયો હતો. ચૈત્ર અને કારતક માસ પિતૃ વિધિ-વિધાન માટેના ખાસ મહિનાઓ છે. જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નારાયણ સરોવર આવે છે.
ડ્રગ્સ સિન્ડિકેટ અંગે જાણી ગયેલા કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાન્ચમાં જ હત્યા 27/04/2016 9:03 am Vikram Nayak કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરીને નાસી છૂટેલા મનિષ બાલાણીને કરજણ રેલવે સ્ટેશનેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા જિલ્લા એલ.સી.બી અને કરજણ પોલીસે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધરીને ૨૧મીએ મોડીરાતે ૧૦ વાગેને ૧૦ મિનિટે જયપુર બાંદ્રા સુપરફાસ્ટના જનરલ કોચમાંથી ઝડપી પાડ્યો હતો.
‘મારી અંતિમવિધિના બદલે ગોવા જઈ પેગ મારજો’ 27/04/2016 9:13 am Vikram Nayak સુરતમાં આવેલા વાત્સલ્ય એપાર્ટમેન્ટના ૧૧મા માળેથી પડતું મૂકીને કોલેજની સ્ટુડન્ટ દિવ્યા બોરખતરિયાએ આપઘાત કરી લીધો હતો.
પીઢ કોંગ્રેસી નેતા ઉર્મિલાબહેન પટેલનું નિધન 27/04/2016 9:06 am Vikram Nayak કોંગ્રેસના પીઢ નેતા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેન પટેલનું ૨૧મી એપ્રિલે સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
અફ્રિદીએ મેસેન્જરમાં ISIS સાથે ચેટ કરી હતી 27/04/2016 9:07 am Vikram Nayak વર્ષ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના સૂત્રધારો પૈકીનો આલમઝેબ અફ્રિદી હાલમાં અમદાવાદ પોલીસની પકડમાં છે.
• સૌરાષ્ટ્રના ૭ ટોલનાકા પર ઈટીસી કાર્ડની યોજના 27/04/2016 9:09 am Vikram Nayak નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાહનચાલકોની સુવિધા માટે ઈટીસી (ઈલેક્ટ્રોનિકસ ટોલ કલેક્શન) પ્રિ પેઈડ કાર્ડનો આરંભ થયો છે.
અપહરણ કેસમાં કાઉન્સિલર સહિત ૧૨ને આજીવન કેદ 27/04/2016 9:15 am Vikram Nayak નડિયાદ નજીક આવેલ ચકલાસીના બટાકાના હિસાબના નાણાંની લેવડદેવડ બાબતે વેપારી તથા તેના ભત્રીજાનું ૨૦૦૨માં અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.