‘ભારત માતાની જય’ એ હકીકતે ભારતીયોની જય છે 21/04/2016 7:42 am Khushali Dave હમણાં ‘ભારત માતાની જય’ના નારા બોલવા અને ના બોલવા માટે ભારતમાં રહીને ભારતીયો જંગે ચડે છે ત્યારે ખરેખર જાણવા જેવું છે કે ‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે અને ક્યાંથી આવ્યો? ‘ભારત માતાની જય’ અંગેનો ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે.
રાજગાદી પર રહીને ૯૦મી બર્થડે ઉજવનારા પ્રથમ મહારાણી 20/04/2016 6:43 am Sandip Bhavsar ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૨૧મી એપ્રિલે તેમની ૯૦મી વર્ષગાંઠ ઉજવશે. રાજગાદી પર રહેતા આટલી વયે પહોંચનારા તેઓ પ્રથમ શાસક બનશે. અગાઉ જ્યોર્જ તૃતીય અને ક્વીન વિક્ટોરિયા ૮૧ વર્ષે મૃત્યુ પામ્યા હતા. અત્યારે ક્વીનની લોકપ્રિયતા ચરમસીમાએ છે અને બહુમતી દેશવાસીઓ માને છે કે તેમણે શાસનના વડાનું પદ જાળવી રાખવું જોઈએ. ૮૦ના દાયકામાં અડધાથી વધુ બ્રિટનવાસીઓ માનતા હતા કે તેમણે ગાદી છોડી દેવી જોઈએ. પરંતુ શાહી પરિવારમાં ત્રણ દાયકાના લગ્નો અને જન્મ તેમજ ક્વીનની ડાયમન્ડ જ્યુબિલી જેવા પ્રસંગોથી શાહી પરિવાર પ્રત્યે દેશમાં ફરી સ્નેહભાવ વધ્યો છે. ક્વીન ૧૦૦ વર્ષમાં આયરલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી બન્યા હતા તે ઉલ્લેખનીય છે.
તા. ૩૦ એપ્રિલ ૨૦૧૬ થી ૬ મે ૨૦૧૬ 21/04/2016 8:33 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
રાષ્ટ્રપતિ પણ ભૂલ કરી શકે: ઉત્તરાખંડ હાઈ કોર્ટ 21/04/2016 8:59 am Khushali Dave ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પૂર્વ સીએમ હરીશ રાવતની અરજીની સુનાવણી દરમિયાન નૈનીતાલ હાઈ કોર્ટે ૨૦મી એપ્રિલે એક તીખા અવલોકનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પણ ભૂલ કરી શકે છે તેથી ઉત્તરાખંડ વિધાનસભા સસ્પેન્ડ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયની કાયદેસરતા ચકાસવા ન્યાયિક સમીક્ષા થઇ શકે છે. કેન્દ્ર સરકારે અદાલતમાં દલીલ કરી હતી કે, અદાલતો રાષ્ટ્રપતિશાસનની સમીક્ષા કરી શકે નહીં. જવાબમાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનો નિર્ણય કોઈ રાજાનો નિર્ણય નથી કે તેની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે.
Row over Salman as goodwill ambassador for Rio 27/04/2016 6:10 am Mitul Paniker Bollywood superstar Salman Khan’s appointment as the Indian Olympic contingent’s goodwill ambassador kicked up a storm with star wrestler Yogeshwar Dutt and sprint legend Milkha Singh questioning the move even as the IOA and some other athletes backed the decision