મુંબઇઃ સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. નિવૃત્ત લેફ્ટ. કર્નલ ચક્રવર્તીએ કહ્યું કે ‘શુભેચ્છા ભારત, તમે મારા દીકરાની ધરપકડ કરાવી દીધી. હવે નક્કી જ મારી દીકરીનો વારો છે. તમે એક મિડલ ક્લાસ પરિવારને બરબાદ કરી નાખ્યો. ન્યાય માટે બધુ જ યોગ્ય છે. જય હિન્દ.’ મીડિયામાં રિયાના પિતાનું આ નિવેદન આવતા જ ડિબેટ શરૂ થઈ ગઈ હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું કે આ ભાવનાત્મક દુષ્પ્રચાર છે. તો એક વ્યક્તિએ લખ્યું કે તમે ચોક્કસપણે સરહદે દેશની સુરક્ષા કરી પણ તમારા બાળકો ડ્રગ્સની સીમાને ઓળંગી ગયા. બીજી બાજુ રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે જો પ્રેમ કરવો ગુનો છે તો રિયા ધરપકડ માટે તૈયાર છે. રિયા નિર્દોષ છે. એટલા માટે અમે તેના વચગાળાના જામીન માટે અરજી નથી કરી.