નવી દિલ્હી: દેવામાં ડૂબી ચૂકેલી ભારત સરકારની એરકંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રૂપ પણ ખરીદવાની રેસમાં સામેલ હોવાના અહેવાલો તાજેતરમાં બહાર આવ્યા છે.
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રૂપ એર ઇન્ડિયા માટે બોલી લગાવી શકે છે. જો આ તોતિંગ સોદો સફળ થઇ જાય તો એરલાઇન માર્કેટમાં અદાણી ગ્રૂપની ધમાકેદાર એન્ટ્રી થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. માર્કેટ એક્સપર્ટના એક અંદાજ પ્રામણે ગુજરાતમાં ઈજારાશીહી વ્યવસાયમાં નીવડેલા અદાણી ગ્રૂપે આ ડિલ માટે તેના સલાહકારોને સક્રિય કરી દીધા છે અને હાલના તબક્કે તેઓ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કરવાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
નોંધનીય છે કે ગત વર્ષે અદાણી ગ્રૂપે એરપોર્ટ્સના મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સના ક્ષેત્રમાં ડગ માંડ્યા છે.