અનૈતિક પદ્ધતિ મુદ્દે એસ્ટેટ એજન્સી વિવાદમાં

Wednesday 16th March 2016 06:46 EDT
 

લંડનઃ લંડનની અગ્રણી એસ્ટેટ એજન્સી ફેલિસિટી જે લોર્ડમાંથી કાઢી મૂકાયેલા કર્મચારી અબ્દુલ સમદે કંપની પર ૫,૦૦,૦૦૦ પાઉન્ડનો દાવો કર્યો છે. કંપનીએ બિઝનેસમાં અનૈતિક પદ્ધતિઓ અપનાવી હોવાનો પર્દાફાશરૂપ આક્ષેપ કરતાં તેને કાઢી મૂકાયાનો સમદે દાવો કર્યો હતો. કંપનીએ તેની વેલ્યુ વધારવા મકાનોના વાસ્તવિક વેચાણ કરતાં ઊંચુ વેચાણ બતાવ્યું હતું.

કંપનીને વધુ સફળ અને વેલ્યુએબલ બતાવવા માટે તેમના બોસ કંપનીના માર્કેટ શેર વિશે ખોટી રજૂઆત કરતા હતા. સમદ કંપનીની બાઉ ઓફિસમાં કામ કરતા હતા. વધારાની લિસ્ટેડ પ્રોપર્ટી માટે મેનેજરો અને બોસને બોનસ અથવા કમિશન મળતાં હતાં તેથી તેમણે પ્રોપર્ટીની સંખ્યા ન ઘટાડવા સમદને સૂચના આપી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter