લંડનઃ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીના એન્યુઅલ કોકટેલ એન્ડ રિસેપ્શન કાર્યક્રમનું તા.૨૬-૧૦-૧૭ ગુરુવારે લંડનની વોશિંગ્ટન મેફેર હોટલ ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ફાયનાન્સિયલ સેક્ટરના ડિરેક્ટરો, સિનિયર મેનેજરો અને અગ્રણી બ્રોકરો સહિત અતિથિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીની સ્થાપના સર દોરાબજી ટાટાએ ૧૯૧૯માં કરી હતી. આ કંપની સંપૂર્ણપણે સરકારી માલિકીની મલ્ટિનેશનલ જનરલ ઈન્સ્યોરન્સ કંપની છે અને તેનું મુખ્યમથક ભારતના મુંબઈ ખાતે છે. માર્ચ ૨૦૧૭માં તેનો વૈશ્વિક બિઝનેસ રૂ.૨૨૨૭૦ કરોડને વટાવી ગયો હતો. કંપનીની સ્થાપનાના એક જ વર્ષમાં એટલે કે ૧૯૨૦માં ન્યૂ ઈન્ડિયાએ યુકેના લંડનમાં તેની ઓફિસ શરૂ કરી હતી. અત્યારે કંપની તેની શાખાઓ, એજન્સી ઓપરેશન્સ, સબસિડિયરી કંપનીઓ, રિપ્રેઝન્ટેટિવ ઓફિસો અને એસોસિએટ્સ દ્વારા ૨૮ દેશોમાં કાર્યરત છે.