ટ્રમ્પના વલણ સામે અમેરિકન ભારતીયો કેમ ચૂપ?: થરુરનો સવાલ

Saturday 04th October 2025 06:46 EDT
 
 

નવી દિલ્હીઃ સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિએ ભારતવિરોધી અમેરિકન નીતિગત નિર્ણયો પર ભારતીય-અમેરિકન ઈમિગ્રાન્ટ્સ સમાજની ચુપકીદીને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ આ મુદ્દો અમેરિકાથી આવેલા પાંચ સભ્યોના બનેલા સંસદીય પ્રતિનિધિ મંડળ સમક્ષ ઉઠાવ્યો હતો. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ડેમોક્રેટ સાંસદ એમી બેરા કરી રહ્યા હતા.
સમિતિના અધ્યક્ષ શશી થરુરે આ બેઠક બાદ જણાવ્યું હતું કે અમે એ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય અમેરિકન સમુદાયના લોકો આ સમગ્ર મામલે આટલા બધા ચૂપ કેમ છે? એક અમેરિકન સાંસદે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેના કાર્યલય પર કોઈપણ અમેરિકન ભારતીય મતદાતાનો ફોન પણ આવ્યો ન હતો કે જેણે આ નીતિ બદલવા માટે અનુરોધ કર્યો હોય. થરુરે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક અમેરિકન સાંસદોએ પણ આ મુદ્દે સહમતી વ્યક્ત કરી હતી. અમારે ભારતીય અમેરિકન સમાજને અપીલ કરવી પડશે કે જો તેઓ પોતાની માતૃભૂમિના સંબંધોને ચિંતિત છે તો તેના માટે અવાજ પણ ઉઠાવવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter