નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવનાં રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મળતી નકલી દવાઓનું ઉદ્ગમ સ્થાન ભારત અને ચીન છે. ભારતમાં વેચાતી દવાઓમાંથી ૨૦ ટકા દવાઓ નકલી હોઈ શકે છે. આરોગ્ય સચિવ પ્રીતિ સુદે જોકે આ અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ રિપોર્ટ બનાવવામાં યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરાયો છે કે કેમ તેની શંકા છે. તેઓ કેવી રીતે આવા તારણ ઘર પહોંચ્યા તે પણ પ્રશ્નાર્થ છે.
ભારત સરકાર આ રિપોર્ટને જેનેરિક દવાઓનાં વિરોધનાં સ્વરૂપમાં જોઈ રહી છે. ભારતનો દવા ઉદ્યોગ આખા વિશ્વમાં હબ સમાન છે. તેનાં વિરોધ તરીકે પણ ભારત તેને મૂલવી રહ્યું છે. ભારતે આ રિપોર્ટને સસ્તી જેનેરિક દવાઓ પરના હુમલા તરીકે ગણાવ્યો છે. ભારતનું માનવું છે કે સસ્તી જેનરિક દવાઓને કારણે જ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને સારવાર સસ્તી બની છે.