તિરુપતિ બાલાજીને રૂ. ૩.૫ કરોડના હીરાજડિત સુવર્ણ હાથમોજા

Monday 20th December 2021 07:42 EST
 
 

આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તીર્થધામ તિરુપતિ મંદિરમાં એક ભક્તે રૂ. ૩.૫ કરોડના હીરાજડિત સુવર્ણ હાથમોજાનું દાન કરાયું છે. ભગવાન વેંકટેશ્વરની હથેળીઓને સજાવવા માટે ૫.૩ કિલોના આ મોજાનું દાન આપનાર ભક્ત એક ઝવેરી છે. પોતાના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેણે તિરુપતિ મંદિરના ટ્રસ્ટને આ ગ્લોવ્ઝ સુપ્રત કર્યા હતા. આમાંથી એક હાથના મોજાનું નામ ‘કટિ હસ્તમ્’ અને બીજા હાથના મોજાનું નામ ‘વરદા હસ્તમ’ છે. દાતા ઝવેરીએ જોકે પોતાનું નામ કરવાનું ટાળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter