ભગવાન શ્રીરામની મૂર્તિ બનશે આ પવિત્ર શીલામાંથી...

Sunday 05th February 2023 05:43 EST
 
 

ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર બનાવવા માટેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે ભગવાન રામની જે મૂર્તિ બનાવવામાં આવનારી છે તે કોઈ સામાન્ય પથ્થર નથી. તેનું ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. નેપાળના મ્યાબ્દી જિલ્લાના બેનીથી સંપૂર્ણ વિધિવિધાન સાથે અને હજારો લોકોની શ્રદ્ધા વચ્ચે આ પવિત્ર પથ્થરને અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. મ્યાગ્દીમાં પહેલા શાસ્ત્ર સંમત ક્ષમાપૂજા કરવામાં આવી. આ પછી જિયોલોજિકલ અને આર્કિયોલોજિકલ નિષ્ણાતોની દેખરેખમાં પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું. તેના પછી તેને ટ્રકમાં લઈને પૂરા રાજકીય સમ્માન સાથે લાવવામાં આવી રહ્યો છે. આ શિલા જ્યાં-જ્યાંથી પસાર થાય છે તે બધા રસ્તે ભક્તજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ શિલા નેપાળની ગંડકી નદીમાંથી મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter