કેન્યન પાદરી પોલ મેકેન્ઝી સામે આતંકવાદનો આરોપ

Tuesday 23rd January 2024 15:05 EST
 
 

નાઈરોબીઃ ભૂખ્યા રહીને સ્વર્ગમાં જઈ જિસસ ક્રાઈસ્ટ સાથે મિલાપ કરી શકાશે તેવી પોતાના અનુયાયીઓને સૂચના આપી તેમને મોતના મુખમાં ધકેલનારા સંપ્રદાયના પાદરી પોલ મેકેન્ઝી અને અન્ય 94 સામે મોમ્બાસાની શાન્ઝુ લો કોર્ટ્સમાં 18 જાન્યુઆરીએ આતંકવાદનો આરોપ લગાવાયો હતો.

ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના વડા મેકેન્ઝી અને સહઆરોપીઓએ આરોપો નકારી કાઢ્યા હતા અને તેમને બોન્ડ સુનાવણી માટે 8 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. હજારો એકરમાં ફેલાયેલા શાકાહોલા ફોરેસ્ટમાંથી 429 અનુયાયીઓના મૃતદેહ શોધી કઢાયા હતા. સંખ્યાબંધ લોકોના મોત ભૂખ્યા રહેવાથી થયા હતા અને ઘણાં બાળકોને ગળાં દબાવી દેવાયેલાં હતાં. આના પગલે ગત એપ્રિલમાં મેકેન્ઝીની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter