કેન્યામાં બસ અકસ્માતઃ 5 ભારતીય પર્યટકોના મોત

Tuesday 17th June 2025 15:35 EDT
 

નાઈરોબી, કોચીઃ કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી એરપોર્ટ ખાતે લવાયા હતા.

ખાઈમાં ખાબકેલી આ બસમાં 28 ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા. કતારથી આઠ કેરળવાસી સહિત 28 ભારતીય પર્યટકોનું જૂથ પ્રવાસ અને સ્થળદર્શનો માટે કેન્યા આવ્યું હતું. રાહત અને બચાવ કાર્યમાં લોકા કેરળ સભા અને નોરકા રુટ્સ સંસ્થાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.કતારમાં ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને અકસ્માતની જાણકારી આપી હતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter