કેન્યામાં મચ્છરોના લાર્વાના નાશ માટે ડ્રોનનો ઉપયોગ

Wednesday 28th July 2021 03:12 EDT
 

નાઈરોબીઃ દેશભરમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધી કાઢવા માટે કેન્યાએ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે અને મચ્છરો લાર્વાના તબક્કામાં હોય ત્યારે જ તેને મારી નંખાય છે. હેલ્થ મિનિસ્ટર મુતાહી કાગ્વેએ જણાવ્યું કે ખાસ કરીને દેશના જે વિસ્તારોમાં મેલેરિયા છે તેવા પહોંચી ન શકાય તેવા વિસ્તારો શોધવામાં ડ્રોન મદદરૂપ થશે.    
આ ડ્રોન મચ્છરોના લાર્વાને મારી નાખવા માટે બિન ઝેરી, બાયો - ડિગ્રેડેબલ કન્ટ્રોલ પદાર્થનો છંટકાવ કરશે. મેલેરિયા સામેની લડાઈ ચાલી રહી છે ત્યારે મચ્છરો ન થાય તે આ કામગીરી સુનિશ્ચિત કરશે      
કેન્યા સરકારને આ ટેક્નોલોજી કેન્યામાં મેલેરિયા સામે લડતી પબ્લિક – પ્રાઈવેટ – કોમ્યુનિટી પાર્ટનરશીપ 'મેલેરિયા કાઉન્સિલ' દ્વારા અમલી કરાઈ હોવાનું હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું હતું.
કેન્યામાં પાંચ વર્ષથી નીચેના બાળકોના મૃત્યુ માટેના ત્રણ મુખ્ય કારણોમાં મેલેરિયા એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter