છ વર્ષમાં 6,221 નાઈજિરિયન ડોક્ટર્સ યુકે સ્થળાંતર કરી ગયા

Tuesday 27th June 2023 10:11 EDT
 
 

લાગોસઃ યુકેમાં ડોક્ટર્સ અન નર્સીસની ભારે અછત વર્તાતી રહે છે અને મુખ્યત્વે ભારત અને નાઈજિરિયા સહિતના આફ્રિકન દેશો તેની અછતને ઘટાડે છે. ઈન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જ્ન્સના નાઈજિરિયન સેક્શન (ICS-NS)ના રિપોર્ટ મુજબ ગત છ વર્ષમાં નાઈજિરિયાથી 6,221 ડોક્ટર્સ યુકે સ્થળાંતર કરી ગયા છે જેના પરિણામે, 40 મિલિયનથી વધુ નાઈજિરિયન્સ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે.

ICS-NSના 56મા વાર્ષિક મીટિંગ રિપોર્ટમાં કહેવાયું છે કે નાઈજિરિયામાં પેશન્ટ-ડોક્ટર રશિયો ઊંચે જઈ રહ્યો છે. 2022 પહેલા નાઈજિરિયાના 4000 પેશન્ટ સામે 1 ડોક્ટરનું પ્રમાણ હતું જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 600 પશન્ટ સામે 1 ડોક્ટરનું પ્રમાણ જાળવવા ભલામણ કરેલી છે. યુકેમાં વર્ષ 2017માં 4,765 નાઈજિરિયન ડોક્ટર્સ નોંધાયેલા હતા જે 2023 માં વધીને 10,986 થયા છે. આનો મતલબ સ્પષ્ટ છ કે 6 વર્ષમાં નાઈજિરિયાએ માઈગ્રેશન થકી 6,221 ડોક્ટર્સ યુકેમાં ગુમાવ્યા છે. દેશની હેલ્થકેર સિસ્ટમને ‘જાપા- JAPA’ સિદ્ધાંત નડી રહ્યો છે. ‘જાપા’નો અર્થ યોરુબા ભાષામાં ‘નાસી જવું થાય છે. નાઈજિરિયાના વર્કફોર્સના 87 ટકાને અસંતોષ છે અને તેઓ સમૃદ્ધ દેશોમાં જવાનું વલણ ધરાવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter