નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. આ ઘટનામાં ૩૭ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઓનિસ્થા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં ટેન્કર બસ સ્ટેશનના પાર્કિંગમાં ઘૂસી ગયા બાદ વિસ્ફોટ થયો હતો. ડ્રાઇવરે ટેન્કર પરથી શા માટે અંકુશ ગુમાવ્યો એ અંગેની માહિતી તાત્કાલિક મળી શકી નથી. આ ઘટનામાં ડઝનબંધ બસ અને અન્ય વાહનો પણ સળગી ગયા હતા. નાઇજિરિયામાં માર્ગો પર અનેક ખાડા હોય છે અને તેના કારણે આવા અકસ્માતો અવારનવાર થતા રહે છે.