નાઇજીરિયાની હોટેલમાં નરમાંસ પીરસાતું હતું

Tuesday 19th May 2015 12:52 EDT
 

આનમબરાઃ અહિની એક હોટેલમાં નરમાંસ પીરસાતું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જાણ થતાંની સાથે જ સ્થાનિક તંત્રે હોટેલને સીલ માર્યું છે. નાઇજીરિયાના આનમબરામાં એક હોટેલમાં માણસનું માંસ રાંધીને ગ્રાહકોને આપવામાં આવતું હતું. આ બાબતની સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવીને સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જ્યારે હોટેલના કિચનમાં તપાસ કરી તો તેમને લોહીલુહાણ હાલતમાં માનવ ખોપરીઓ મળી હતી. આ હોટેલમાં ભોજન લીધા પછી એક ગ્રાહકને શંકા ગઈ કે આટલું સસ્તું માંસ કેવી રીતે મળે. બિલ અંગે પૂછતાં તેને સરખો જવાબ ન મળતાં તેની શંકા પ્રબળ બની અને તેણે પોલીસને માહિતી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter