નૈરોબીમાં લૂંટના ઈરાદે થયેલા ગોળીબારમાં મૂળ જામનગરના રમેશભાઈ ગોસરાણીનું મૃત્યુ

Wednesday 15th March 2017 07:13 EDT
 

નૈરોબીઃ મૂળ જામનગરના એક વૃદ્ધની ૧૧મી માર્ચે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટનામાં મૃતકની પત્નીને ભારે ઈજા પહોંચી હતી. નૈરોબીનાં સ્પ્રિંગ વેલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોસરાણી (ઉં. વ. ૮૪) તથા તેમનાં પત્ની મુક્તાબહેન (ઉં. વ. ૮૦) એમનાં ઘરે હતાં ત્યારે લૂંટના ઇરાદે આવેલા કેટલાક માણસોએ અંધાધૂંધ ગોળીબાર કરતાં રમેશભાઈને ગોળી વાગતાં તેમનું મૃત્યુ થયું હતું. નૈરોબી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને હત્યારાઓની તપાસ આદરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter