મોગાદિશુની હોટેલ પર આતંકી હુમલામાં ૨૮ લોકોનાં મોત

Wednesday 01st February 2017 06:22 EST
 
 

મોગાદિશુઃ સોમાલિયાની એક હોટેલમાં ચાર ત્રાસવાદીઓએ ઘૂસીને આડેધડ ગોળીબાર ચાલુ કરતા ૨૮ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૪ જણા ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ ચારે હુમલાખોરોને ઠાર કર્યા હતા.
સોમાલિયાના પાટનગર મોગાદિશુની દાયાહ હોટેલ એવું સ્થળ છે જ્યાં ઘણીવાર સરકારી અધિકારીઓ, જુદા જુદા પ્રાંતના નેતાઓ કે મહત્ત્વના માણસો ત્યાં રોકાતા હોય છે. તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું બચી ગયેલા ઘાયલોએ આપેલી માહિતી અનુસાર અલશબાબના મનાતા આ ત્રાસવાદીઓએ લાતો મારીને ત્યાં રહેલા લોકો પાસે દરવાજા ખોલાવ્યા હતા તો ઘણાને પોતે બચાવકર્મીઓ હોવાની ઓળખ આપીને રૂમ ખોલાવી નાંખ્યા હતા. જોકે સુરક્ષાદળોએ વળતા પ્રહારમાં ચારને હોટેલમાં જ ઢાળી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter