વારંવાર મરીને પણ જીવતો થઇ જાય છે આ વ્યક્તિ!

Sunday 28th September 2025 05:50 EDT
 
 

ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે ફરીથી જીવતા થયા છે. ઈસ્માઈલ પહેલી વાર કાર્યસ્થળ પર કામ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. આ પછી, ઈસ્માઈલનો પરિવાર મૃતદેહ લઈને કબ્રસ્તાન પહોંચ્યો અને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ ઇસ્માઈલ કફનમાંથી બહાર આવ્યા અને ચાલવા લાગ્યા.
ઇસ્માઇલ બીજી વાર મેલેરિયાને કારણે મૃત જાહેર થયા હતા. આ વખતે પણ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી અને કફનમાં લપેટી પણ દેવામાં આવ્યા હતા અને તે પછી ફરીથી તેઓ કફનમાંથી બહાર આવ્યા. આ રીતે જીવન અને મૃત્યુનો આ સિલસિલો કુલ છ વખત ચાલ્યો.
એક તબક્કે તો તેમના પડોશીઓએ એમ માની લીધું હતું કે ઇસ્માઇલ ભૂત અથવા તો પ્રેત છે. આ કારણે તેમનું મકાન સળગાવી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે તેઓ ઘરની અંદર હાજર હતા, ત્યારે આગ લગાડવામાં આવી હતી, પરંતુ ઇસ્માઇલ છઠ્ઠી વાર પણ બચી ગયા. હવે મુશ્કેલી એ છે કે તેઓ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકતા નથી. ઇસ્માઇલ પોતાનું જૂનું ઘર છોડીને એકદમ દૂર એક સૂમસામ જગ્યાએ રહેવા લાગ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter