અમદાવાદઃ રાષ્ટ્રીય કૃત બેન્ક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સામાં વધુ ત્રણનો ઉમેરો થયો છે. ૨૩મી ડિસેમ્બરના છેલ્લા ત્રણ જ દિવસમાં ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ ફેસિલિટી મેળવી કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો મળતાં ક્રાઈમ બ્રાંચે સઘન તપાસ હાથ ધરી હતી.
સીબીઆઈને મળેલી ફરિયાદ મુજબ, રાજકોટની ગોંડલમાં ગોવર્ધન કોટન જીને રૂ. ૪૮.૪૪ કરોડ, અમદાવાદની દોશિયાન વોટર સોલ્યુશન પ્રા.લિ. કંપનીએ રૂ. ૧૧૯.૬૪ કરોડ અને કપડવંજની મેસર્સ એચ. એન. ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લિ કંપનીએ રૂ. ૧૦૪.૫૪ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા એક માસમાં મુંબઈ અને ગાંધીનગર સીબીઆઈમાં આવા કૌભાંડોની દસ જેટલી ફરિયાદો નોંધાઈ છે.