UAEમાં ફસાયેલાઓને ખાનગી ફલાઇટમાં ગુજરાત લવાશે

Monday 15th June 2020 17:00 EDT
 

અમદાવાદઃ કોરોના સંકટ અને વિશ્વના દેશોમાં લોકડાઉનના લીધે અનેક દેશી - વિદેશી નાગરિકો પરદેશમાં ફસાઈ ગયાં છે. ગુજરાતના પણ કેટલાય લોકો વિદેશથી વતન આવવા માટે રસ્તા શોધી રહ્યાં છે. સંયુક્ત અરબ અમિરાતમાં પણ કેટલાક ગુજરાતી યુવકો ફસાયાં છે. તેમને પરત લાવવા માટે હવે ફલાઇટની વ્યવસ્થા  કરાઇ છે. જોકે લોકોની સંખ્યા વધુ હોવાથી ખાનગી એરલાઇન્સની ફ્લાઇટને પણ મંજૂરી આપવાની માગણી કરાઇ હતી. હવે સરકારે મંજૂરી આપતા ૨૦થી ૨૩ જૂન દરમિયાન ગોએર અને ઇન્ડિગોની વિશેષ ફલાઇટ ઓપરેટ કરવામાં આવશે. તેમાં ૨૦ જૂને ગોએરની એક માત્ર વિશેષ ફ્લાઇટ ઓપરેટ કરાશે. ૨૦ જૂન દરમિયાન ગોએર અને ઇન્ડિગોની વિશેષ ફલાઇટ અબુધાબીથી અમદાવાદ માટે રવાના થશે. ૨૦થી ૨૩ જૂન દરમિયાન ફ્લાઇટમાંથી ૯ ફલાઇટ ઇન્ડિગોની છે. દુબઇ અને અબુધાબીથી દિલ્હી, મુંબઇ, વિશાખાપટ્ટનમ્, ગયા, ભુવનેશ્વર અને કોલકાતા માટે કેટલાક વિમાનો ટેકઓફ કરશે. જ્યારે ગોએરની એક ફ્લાઇટ અબુધાબીથી ૨૦ જૂને અમદાવાદ પહોંચશે. જેમાં લોકો ગુજરાત પહોંચી શકશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter