અક્ષરધામ મંદિરના દ્વાર ખૂલ્યાઃ સાંજે સાડા ત્રણ કલાક મંદિર ખૂલ્લું રહેશે

Thursday 03rd December 2020 05:53 EST
 
 

ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે બંધ રહેલા નગરના પ્રવાસધામ તેવા બીએપીએસ અક્ષરધામ મંદિરને પહેલી ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જોકે મંદિર સાંજે સાડા ત્રણ કલાક એટલે કે ૪થી ૭-૩૦ કલાક સુધી જ ખૂલ્લુ રાખવામાં આવશે.
કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક માસ જેટલા લાંબા વિરામ બાદ ખોલવામાં આવ્યું હતું. અક્ષરધામ મંદિર ખૂલ્યા બાદ કોરોનાના સંક્રમણને પગલે મુલાકાતીઓ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અક્ષરધામના આકર્ષણનું કેન્દ્ર સમાન પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પરંપરાગત દીપમાળાની રોશનીથી પણ શણગારવામાં આવ્યું હતું. જોકે દિવાળી પર્વ બાદ કોરોના સંક્રમણ વધતા અક્ષરધામના સંચાલકોએ સલામતીને ભાગરૂપે અક્ષરધામને ૩૦ નવેમ્બર સુધી ફરી કરવાનો નિર્ણય લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter