અતિવૃષ્ટિને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં ૨૩ લોકોના મોત

Saturday 01st August 2015 07:18 EDT
 
 

ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા અતિભારે વરસાદને કારણે ૩૧ જુલાઇ સુધીમાં સત્તાવાર રીતે ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પૂરને કારણે ૮૯૪૦ પશુના મોત થયા છે, જ્યારે હજી ચાર વ્યક્તિ પૂરમાં લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થતાં હવે ઝડપથી પરિસ્થિતિ થાળે પડી રહી છે. જોકે, હવે સફાઈને પ્રાધાન્ય આપીને રોગચાળો પ્રસરતો અટકાવાની પડકારરૂપ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની બાવન જેટલી ટીમોને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી ૨૦ ડોક્ટર્સને બનાસકાંઠા મોકલવામાં આવ્યા છે. એવી જ રીતે મૃત પશુઓના પદ્ધતિસરના નિકાલ માટે પશુપાલન વિભાગની ૭૩ ટીમો કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter