અમદાવાદ: કોરોનાને લીધે દેશભરમાં બે મહિના સુધી ફલાઇટ બંધ રહ્યા બાદ ૨૫મી મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક શરૂ થઇ હતી. ફ્લાઇટ શરૂ થઇ ત્યારે પેસેન્જર નહીંવત મળતા, પરંતુ ધીમે ધીમે પેસન્જરોની સંખ્યામાં વધારો થયો છે. ફલાઇટનું સંચાલન શરૂ થયા બાદ અમદાવાદ સહિત રાજ્યના અન્ય એરપોર્ટ પર એકક્રાફ્ટની સાથે પેસેન્જરોની સંખ્યા વધી રહી છે.
આ વર્ષ એપ્રિલથી જૂન દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલમાં ૧૨૫ ફલાઇટ અને ૩૩૦૦ પેસેન્જરોની મૂવમેન્ટ થઇ હતી. જેમાં ડોમેસ્ટિકની મૂવમેન્ટ થઇ હતી. જેમાં ડોમેસ્ટિક ફલાઇટની સરખામણીમાં ઇન્ટરનેશનલ ફલાઇટની સંખ્યા વધુ હતી. ૨૫મી મેથી દેશમાં ફ્લાઇટ સેવા શરૂ થતાં મે મહિનામાં ડોમેસ્ટિક ફાલાઇટની સંખ્યા ફરી વધી ગઇ હતી. મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ૪૭૦ ફલાઇટની સંખ્યા ૧૭૦૦થી વધુ હતી. જેમાં ૧ લાખની વધુ પેસેન્જરની મૂવમેન્ટ થઇ હતી. એકક્રાફ્ટ અને પેસેન્જરની આ સંખ્યા ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય એરપોર્ટ વડોદરા, સુરત, રાજકોટ કંડલા ખાતે પણ નોંધાઇ હતી.
૩ દિવસમાં ૨૪૬૦ ભારતીય યુએસથી પરત
કોરોનાના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં મોટી સંખ્યામાં ફસાયેલા લોકોને અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરમાં પરત લાવવા એર ઇન્ડિયાની સાથે હવે કેટલીક ખાનગી એરલાઈન્સની પણ મદદ લેવાઈ રહી છે. ત્યારે ૨૧થી ૨૩ ઓગસ્ટમાં અલગ અલગ દેશોમાંથી ૧૨૭૮૯ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લવાયા છે. જેમાંથી ૨૦ ટકા એટલે કે ૨૪૬૦ નાગરિકોને વોશિંગ્ટન, ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગોથી વિશેષ ફ્લાઈટ દ્વારા અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં લવાયા હતા.
અગાઉ ૧૭મી ઓગસ્ટના અહેવાલો અનુસાર વિદેશમાં ફસાયેલા ૭૫૨ ભારતીય નાગરિકોને ‘વંદે ભારત’ મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સ્વદેશ પરત લવાયા હતા.