અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ૧૧મીએ એક ફ્લાઇટને ટેક ઓફ કરવા લીલીઝંડી મળી હતી ત્યાં જયપુરની સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ તે જ રનવે પર સામે આવી હતી. આ ઘટનામાં એર ટ્રાફિક કન્ટ્રોલના સ્ટાફની સતર્કતાએ મોટી દુર્ઘટના થતી અટકી હતી અને તમામ ૨૫૦ જેટલા પ્રવાસીઓનો જીવ બચ્યો હતો.

