અમદાવાદ એરપોર્ટ પર ૧૫ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ એક વર્ષ માટે બંધ

Thursday 10th March 2016 03:36 EST
 
 

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દાયકા બાદ રન-વે રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરી છે. એક વર્ષ સુધી સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી રન-વે રિસરફેસના કારણે સંપૂર્ણ બંધ રહેશે. જેથી ડોમેસ્ટિક સેક્ટરની ૧૫ ફલાઇટ્સ બંધ કરવાની એરલાઇન કંપનીઓએ જાહેરાત કરી છે. પ્રવાસીઓએ એડવાન્સમાં લો-ફેરમાં ટિકિટ બૂકિંગ કરાવેલા હજારો પ્રવાસીઓના શિડયૂલ ખોરવાઈ જશે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાડા ત્રણ કિ.મી. લાંબા રન-વેનું રૂ. ૩૦ કરોડના ખર્ચે રિસરફેસ કરવાની કામગીરી ગત ૨૫ ફેબ્રુઆરીથી શરૂ કરી થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ પ્રોજેક્ટ ૧૮ મહિનામાં પૂરો કરવાનો હતો, પણ મંજૂરી લેવામાં વિલંબ થતાં હવે એક વર્ષમાં કામગીરી પૂરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter