અમદાવાદથી કુવૈતની ફલાઇટ શરૂ થશે

Saturday 18th July 2015 07:16 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી છે. કુવૈત એરવેઝે થોડા સમય પહેલાં પેસેન્જર ટ્રાફિક સરવે કરાવ્યા પછી આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે.

અત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાર્ષિક ૫૦ લાખ પ્રવાસીઓની અવરજવર રહે છે. અહીંથી ૧૧ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એર ઇન્ડિયાએ કુવૈતની ફલાઇટ બંધ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter