અમદાવાદના કોબામાં ઐતિહાસિક દીક્ષા સમારોહઃ 17 દીક્ષાર્થીએ સંયમ જીવન અપનાવ્યું

Thursday 11th September 2025 06:29 EDT
 
 

અમદાવાદઃ શહેરના કોબામાં યોજાયેલા ઐતિહાસિક દીક્ષા સમારોહમાં યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ 17 મુમુક્ષુને દીક્ષા પ્રદાન કરી હતી. પ્રેક્ષા વિશ્વભારતીના મનોહર પ્રાંગણમાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 10 બહેનો અને 7 ભાઈઓ સંસારનો માર્ગ છોડીને વૈરાગ્યના પથ પર આગળ વધ્યા હતા. ભોગના માર્ગથી યોગ તરફ આગળ વધવાનો આ વિરલ પ્રસંગ હતો. કાર્યક્રમમાં સાધ્વીપ્રમુખા વિશ્રુતવિભાજીએ દીક્ષાનો મહિમા વર્ણવ્યો હતો, જ્યારે દીક્ષાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. મુનિ દિનેશ કુમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter