અંબાજી: અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા અમદાવાદના ભક્તે રવિવારે પાંચ કિલો સોનું મા અંબાને અર્પણ કર્યું હતું. તેમણે અગાઉ પણ ૨૦ કિલો સોનું દાનમાં આપ્યું હતું. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાના સંકલ્પમાં આ માઇભક્તે ૨૫ કિલો સોનું આપવાનો સંકલ્પ કર્યો હતો. અગાઉ ૨૦ કિલો સોનું આપ્યા પછી બાકી રહેલું રૂ. ૧,૨૦,૦૦,૦૦૦નું પાંચ કિલો સોનું રવિવારે માં અંબાના ચરણોમાં ભેટ ધર્યું હતું. મંદિરના મુખ્ય શિખરની ૬૧ ફૂટ ઊંચાઈ સુધીની સુવર્ણ કામગીરી માટે અંદાજે ૧૪૦ કિલો સોનાની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં ૫૭ ફૂટનું કામ થયું છે.