અમદાવાદઃ વર્ષ ૧૯૩૦ની ૧૨ માર્ચે અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી દાંડીકૂચ રવાના થઈ હતી. જે માર્ગ પરથી દાંડીયાત્રાને પસાર થયે ૯૦ વર્ષ વીતી ગયાં તે ઐતિહાસિક કૂચની યાદમાં ૧૨મી માર્ચે ગાંધી આશ્રમથી ગાંધી સંદેશયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સહિતના મહાનુભાવો અને અન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં લોકોએ તિરંગા સાથે ગાંધીસંદેશને રજૂ કર્યો હતો.