અમદાવાદઃ સ્વયંસિદ્ધ મુહૂર્ત અક્ષય તૃતીયાએ ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ હોય છે. અમદાવાદીઓએ આ દિવસે રૂ. ૩૫ કરોડનું અને રૂ. ૨૦ કરોડની ચાંદીની ખરીદી કરી હતી. આ ઉપરાંત જમીન, મકાન બજારમાં પણ સારી ખરીદી હતી. અમદાવાદમાં અંદાજે ૧૧૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. સોનાના ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૩૨,૬૦૦ની આસપાસ હતો. અમદાવાદ જ્વેલરી એસો. ઉપપ્રમુખ જીગર સોનીએ કહ્યું કે, આચાર સંહિતાના લીધે સોની બજારમાં છેલ્લા કેટલાક સમયથી ખરીદી-વેચાણ બંધ હતા, પરંતુ સોની બજારમાં અક્ષય ત્રીજે સવારથી જ ભારે ઘરાકી રહી હતી.