અમદાવાદીઓએ અખાત્રીજે રૂ. ૩૫ કરોડનું સોનું ખરીદ્યું

Tuesday 14th May 2019 14:50 EDT
 

અમદાવાદઃ સ્વયંસિદ્ધ મુહૂર્ત અક્ષય તૃતીયાએ ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ હોય છે. અમદાવાદીઓએ આ દિવસે રૂ. ૩૫ કરોડનું અને રૂ. ૨૦ કરોડની ચાંદીની ખરીદી કરી હતી. આ ઉપરાંત જમીન, મકાન બજારમાં પણ સારી ખરીદી હતી. અમદાવાદમાં અંદાજે ૧૧૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. સોનાના ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૩૨,૬૦૦ની આસપાસ હતો. અમદાવાદ જ્વેલરી એસો. ઉપપ્રમુખ જીગર સોનીએ કહ્યું કે, આચાર સંહિતાના લીધે સોની બજારમાં છેલ્લા કેટલાક સમયથી ખરીદી-વેચાણ બંધ હતા, પરંતુ સોની બજારમાં અક્ષય ત્રીજે સવારથી જ ભારે ઘરાકી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter