અમદાવાદ: એડવર્ટાઇઝિંગ અને મીડિયા ક્ષેત્રે છેલ્લા એક દસકાથી કાર્યરત આક્રિતિ પ્રોમોશન્સ એન્ડ મીડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર પંકજ મુધોળકર અને કંપનીના ડિરેક્ટર શરદિની મુધોળકરના માતૃશ્રી પુષ્પાબહેન આનંદભાઈ મુધોળકરનું ટૂંકી બીમારી બાદ ૧૦ ઓક્ટોબર - શનિવારના રોજ અમદાવાદમાં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતાં. વડોદરામાં ૧૯૩૫માં જન્મેલા પુષ્પાબહેને ઉચ્ચ અભ્યાસ બાદ કારકિર્દી માટે શિક્ષણ ક્ષેત્ર પર પસંદગી ઉતારી હતી અને શિક્ષિકા તરીકે વિવિધ સ્થળોએ દીર્ઘકાલીન અને પ્રસંશનીય પ્રદાન આપ્યું હતું. તેઓ તેમની પાછળ બે પુત્રો-પુત્રવધુઓ (પંકજભાઇ-દિપાબહેન, વિવેકભાઇ-અનઘાબહેન) અને ત્રણ દીકરીઓ (શરદિનીબહેન, અંજલિબહેન પરેશભાઇ વાણી તથા ગીતાંજલીબહેન કૌસ્તુભભાઇ તાંબે)ના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકતા ગયા છે. પ્રેમાળ દાદીમાની ચિરવિદાયથી પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્રી શોકની લાગણી અનુભવી રહ્યા છે.