અમદાવાદ: ગાંધીનગર અક્ષરધામ મંદિર ૨૧૫ દિવસ પછી આશરે ૨૫ ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. મંદિર પરિસરમાં માસ્ક વિના કોઈને પણ પ્રવેશ અપાશે નહીં. મંગળવારથી રવિવાર સુધી સાંજે ૫.૦૦ વાગ્યાથી ૭.૩૦ સુધી પ્રવેશ મળી શકશે. વોટર શો પણ ૭.૧૫ વાગે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે ૨૩મી માર્ચથી અક્ષરધામ બંધ કરાયું હતું. આ અગાઉ અક્ષરધામ પર આતંકી થયો ત્યારે ૧૪ દિવસ માટે મંદિર બંધ રખાયું હતું. આ પછી ૨૧૫ દિવસ મંદિર બંધ રહ્યું હોવાની આ પહેલી ઘટના છે. અક્ષરધામમાં પ્રવેશ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. રૂમાલ કે દુપટ્ટો પણ ચાલશે નહીં. આ ઉપરાંત મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ફરજિયાત રહેશે. વૃદ્ધ, અશક્ત, બીમાર, ગર્ભવતી મહિલા તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ દર્શન માટે આવવાનું ટાળવા પણ અપીલ કરાઈ છે.