ઇડી મારા એક સવાલનો જવાબ ન આપી શકીઃ અહેમદ પટેલ

Tuesday 07th July 2020 16:13 EDT
 
 

નવી દિલ્હીઃ સાંડેસરા બ્રધર્સ બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ મામલે ઈડીની પૂછપરછને કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. એહમદ પટેલે ૩જી જુલાઈએ ટિ્વટમાં કહ્યું કે, ત્રણ વખત મારા ઘરે આવવા માટે ઈડીના અધિકારીઓનો આભાર. તેમણે લખ્યું કે મેં તેમના ૧૨૮ સવાલોના જવાબ આપ્યા પણ તે મારા એક જ પાયાના સવાલનો જવાબ ન આપી શક્યા કે સાંડેસરા ગ્રૂપને ફાયદો પહોંચાડવા, વિશેષાધિકાર અને સન્માન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં કોણ જવાબદાર હતું? એહમદ પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ટિ્વટ કરી હતી કે, કોરોના મહામારી વચ્ચે એહમદ પટેલજીને હેરાન કરવા માટે ઈડીને મોકલવી એ દર્શાવે છે કે આ સરકારની પ્રાથમિકતા શું છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter