ઊંઝાઃ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઈ પટેલ (દાદા)નું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે ૩૦મી ડિસેમ્બરે અવસાન થયું હતું. બે મહિના પહેલાં જ સંસ્થાનું સુકાન સંભાળનારા વિક્રમભાઈની અંતિમ ઈચ્છા મુજબ તેમના પાર્થિવદેહનું વડનગર મેડિકલ કોલેજમાં દાન કરાયું હતું. દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. તેઓ ચાણસ્મા બેઠક પર કિમલોપ પક્ષમાંથી ૧૯૭૫થી ૧૯૮૦ સુધી ધારાસભ્ય રહ્યા હતા. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના બંધારણ મુજબ પ્રતિવર્ષ નવીન હોદેદારોની નિમણૂક મુજબ ૨૭ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ વિક્રમભાઈ પટેલની પ્રમુખ પદે વરણી કરાઈ હતી.