થરાઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમયે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. જેમાં થરામાં ચૂંટણીની અદાવતમાં ઠાકોરો અને દરબારો વચ્ચે મામલો બિચક્યો હતો. બને જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી પછી મારામારીથી લઈ આગચંપીના બનાવ બન્યા હતા. જૂથે મતદાન મથકને નિશાન બનાવીને પણ આગ ચાંપી હતી. જોકે પોલીસે ટોળાં પર સમયસર કાબૂ મેળવતાં જાનહાનિ ટળી હતી.