પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કોર્ટમાં ચાલી રહેલા નાર્કોટિક્સના કેસ પર રોક માટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે રાજસ્થાન હાઇ કોર્ટમાં તાજેતરમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. સંજીવ ભટ્ટની રજૂઆત હતી કે, તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં સૌથી પહેલાં કાર્યવાહી જોધપુરની સ્પેશિયલ કોર્ટે શરૂ કરાઈ હતી અને બાદમાં ગુજરાતમાં કેસ નોંધાયો હતો. તેમની સામેના બંને કેસમાં સમાન આક્ષેપો જ છે. તેથી કાયદાની જોગવાઇ પ્રમાણે પાલનપુરમાં ચાલતા કેસને રાજસ્થાન હાઈ કોર્ટમાં બંધ કરી દેવામાં આવે. જોકે કોર્ટે બંને કેસને અલગ અલગ ગણાવીને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી.