પ્રાંતિજના વરરાજા અને ચાઇનાની લાડી

Wednesday 14th December 2016 07:11 EST
 
 

પ્રાંતિજઃ સાબરકાંઠાનાં પ્રાંતિજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકે હિંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુત્ર ડો. નિશાંત ચાઈનામાં મેડિકલ સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ સાથે તબીબી પ્રેક્ટિસ પણ કરે છે. નિશાંતને તેની સાથે ભણતી ચાઈનાની જ યુવતી ડો. દાના સાથે પ્રેમ થઈ જતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને જણાએ પોતપોતાના પરિવારને આ નિર્ણય જણાવ્યો હતો અને બંને પરિવાર નિશાંતના વતનમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન માટે તૈયાર થયા હતા. નિશાંત - દાનાના લગ્ન નવમીએ પ્રાંતિજમાં રંગેચંગે થયા હતા. જેમાં દાનાના માતાપિતા પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter