ડીસાઃ તાલુકાના કાંટ ગામની પાંરાપોળના સંચાલકોએ તાજેતરમાં ૨૫૦૦ જેટલા પશુઓને માર્ગ ઉપર છોડી દેતાં લોકોમાં આશ્ચર્ય અને તંત્રમાં દોડધામ મચી હતી. પોલીસે જીપોની આડાશ મૂકીને પશુઓને રોકવા નિષ્ફળ પ્રયાસ પણ કર્યા હતા. પાંજરાપોળના સંચોલકોની એક જ માગ છે કે ભીષણ ઉનાળામાં અબોલ પશુઓના ઘાસચારા માટે સરકાર તરફથી તરત જ સહાય મળે. છેલ્લા ત્રણ મહિનાથી સતત રજૂઆતો અને સરકારી કચેરીઓના ધક્કા ખાધા પછી પણ સરકારે માગ ન મનાતા ગૌશાળા સંચાલકોએ આ રીતે આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ૯૭ ગૌશાળાઓના ૫૫ હજાર જેટલા પશુઓ છે. ગૌશાળા સંચાલકોએ એક એક કરીને બધી જ ગૌશાળાઓના પશુઓને રસ્તા પર અને સરકારી કચેરીઓમાં છોડી દેવાનું કર્યું હતું.