સૌરઊર્જાથી ઝળહળ્યું મોઢેરાનું સૂર્યમંદિર

Wednesday 08th September 2021 12:54 EDT
 
 

મોઢેરાનું સૂર્યમંદિર સૌરઊર્જાથી ઝળહળી ઊઠ્યું છે. આ સાથે જ મોઢેરા ગામ પણ સોલાર ઊર્જાનો ઉપયોગ કરતું દેશનું પ્રથમ ગામ બની ગયું છે. પ્રોજેક્ટ અંતર્ગત મોઢેરાથી ૬ કિલોમીટર દૂર રૂ. ૬૯ કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ ઊભો કરાયો છે. આ પ્રોજેક્ટનું ઉદઘાટન લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે તેમના હસ્તે કરાશે. આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મોઢેરાનું આ સૂર્યમંદિર પાટણના રાજવી ભીમદેવ સોલંકીએ ઇ.સ. ૧૦૨૬-૨૭માં બંધાવ્યું હતું, જે કર્કવૃત રેખા પર આવેલું છે. ભારતમાં આવેલા ત્રણ પૌરાણિક સૂર્યમંદિરમાં ઓડિશાના કોણાર્ક સૂર્યમંદિર, કાશ્મીરના માર્તંડ સૂર્યમંદિર અને ઉત્તર ગુજરાતમાં આવેલા મોઢેરા સૂર્યમંદિરનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter